જુનાગઢ: એશિયાટીક સિંહના પ્રખ્યાત ગીર રાષ્ટ્રીય ઉધાનની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે.. જૂન 2016થી જૂન 2017 વચ્ચે સૌથી વધુ પ્રવાસીઓને સાસણ ગીરની મુલાકાત લીધી છે.
મુલાકાતીઓનો આંકડો 5.22 લાખે પહોંચી ગયો છે.જેનાથી કુલ આવક 10.25 કરોડની કમાણી કરી છે.દિવાળીમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.અને પ્રવાસીઓની વધતી સંખ્યાને પગલે અધિકારીઓએ 30 ઓ~ટોબર સુધી ઓનલાઈન બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
14 જાન્યુઆરી સુધી વિકેન્ડ પર ગીરમાં ફરવું સરળ નહીં રહે.પર્યટકોએ પહેલાથી જ મોટી સંખ્યામાં બુશકગ કરાવી લીધું છેમાટે 14 જાન્યુઆરી સુધી વિકેન્ડ પર ઓનલાઈન પરમિટ રોકી દીધી છે.અધિકારીઓનું માનીએ તો પ્રવાસીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. ગત વર્ષે ગીરમાં 5.22 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.જોકે તહેવારોની સી{ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.