નવી દિલ્હીઃ દિવસે-દિવસે મોંઘવારીનો માર સામાન્ય માણસ પર વધી રહ્યો છે. આ મોંઘવારીએ પોતાની ઝપેટમાં ઇંધણ અને તેલ અને એલ.પી.જીને પણ લઇ લીધી છે. વિમાન ઇંધણ એટીએમના ભાવ 6 ટકા વધી ગયા છે. ઓગસ્ટથી આ જેટ ઇંધણના ભાવ સતત ત્રીજી વાર વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં મજબૂતીના કારણે અહીં પણ એટીએપના ભાવ વધ્યા છે. દિલ્હીમાં હવે એટીએફના ભાવ 3 025 રૂપિયા વધીને 53 045 રૂપિયા પ્રતિ કિલોલીટર થશે.
આજ સુધી આની કિંમત 50 020 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. ઇન્ડિયન ઓયલ કોર્પોરેશને નવા ભાવોની જાણકારી આપી છે. આ પહેલા 1 સપ્ટેમ્બરે એટીએફની કિંમતોમાં ચાર ટકા અથવા 1 910 રૂપિયા પ્રતિ લીટરે વધારો થયો હતો. આ સિવાય રાંધણ ગેસના ભાવ 1.50 રૂપિયા પ્રતિલીટરે વધારાયા છે.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 31 જૂલાઇના રોજ લોકસભાને સચેત કર્યા હતા કે સરકારે સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીયોની સબસિડી વાળા સિલિન્ડરના ભાવ દર મહિને ચાર રૂપિયા વધારવાનું કહ્યું હતું જેમાં ગયા વર્ષે માર્ચ સુધી દરેક સબસિડી સમાપ્ત થઇ શકે છે.
દર મહિને એલપીજી ઇંધણની કિંમત
સરકારે એલપીજી પર સબસિડી સમાપ્ત કરવા માટે દર મહિને આની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આઇ.ઓ.સીએ કહ્યું કે દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબસિડી વાળા એલપીજીના ભાવ હવે 488.68 રૂપિયા થશે. આજ સુધી આ 478.18 રૂપિયા છે.
આ પહેલા એક સપ્ટેમ્બરે એલ.પી.જીના ભાવ સાત રૂપિયા પ્રતિ સિલિન્ડરે વધારવામાં આવ્યા હતા. ગયા વર્ષે જુલાઇથી માસિક વૃદ્ધિ યોજના લાગૂ થયા બાદથી સબસિડી વાળા એલપીજી સિલિન્ડરના ભાવ 69.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વઘી ચૂક્યા છે.