ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 30 કરોડ ના ખર્ચે સરદારનગર વિસ્તારમાં સ્વિમિંગ પુલ અને ઓડિટેરિયમ તેમજ આર્ટ ગેલેરી બનવવામાં આવી છે પરંતુ અહીં ઓડિટેરિયમ તેમજ આર્ટ ગેલેરી તૈયાર હોવા છતાં કોઈ અકળકારણોસર તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી કોંગ્રેસ નો આક્ષેપ છે કે મનપાના શાશકો ચૂંટણી ના સમયે લોકાર્પણ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે
ભાવનગરમાં એક માત્ર હાલમાં યશવંતરાય નાટ્યગૃહ આવેલું છે પરંતુ શહેર નો વિસ્તાર વધવાની સાથે લોકો માટે દૂર ના વિસ્તારમાં એક સ્વિમિંગ પુલ અને ઓડિટેરિયમ તેમજ આર્ટ ગેલેરી બનવવાની લોકો ની માંગ હતી જે પુરી થઇ છે પરંતુ તેના લોકાર્પણ ના થવાના કારણે હાલ તે બંધ હાલત માં છે ભાવનગરના સરદારનગર વિસ્તારમાં ભાવનગર ની કલા નગરી ની છાપ ને ખરા અર્થમાં સાર્થક થાય તે પ્રમાણે આ સ્વિમિંગ પુલ અને ઓડિટેરિયમ તેમજ આર્ટ ગેલેરી બનવવામાં આવી છે અહીં બનાવાયેલ ઓડિટેરિયમ 1100 બેઠક વાળું છે અને સાઉન્ડ પ્રુફ તેમજ અત્યાધુનિક લાઇટિંગ સીસ્ટમ પણ લગાવવામાં આવી છે પરંતુ શા માટે શરૂ નથી કરાતુ તેવો વેધક સવાલ કોંગ્રસે કર્યો છે
ભાવનગરમાં ઘણા સમયથી અતિ આધુનિક ઓડિટેરિયમ તેમજ આર્ટ ગેલેરી માટે લોકો ની માંગણી હતી અને તે સંતોષવામાં આવી છે અહીં પાર્કિંગ ની વિશાલ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે આ તમામ વસ્તુ નું ગુજરાતના જાણીતા આર્કીટેક રજનીકાંત મચ્છર મોનીટરીનેગ કરી રહ્યં છે તમામ વસ્તુ તૈયાર હોવા છતાં શા માટે ખુલ્લું નથી મુકાયા તેવા સવાલ સામે અધિકારીનું કહેવું છે કે આગામી 12 સપ્ટેમ્બર ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગર આવતા હોઈ તેમના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવશે
ભાવનગર કલા અને સંસ્કૃતિનું ધામ ગણાય છે અને તેમાં આ તૈયાર થયેલા સ્વિમિંગ પુલ અને ઓડિટેરિયમ તેમજ આર્ટ ગેલેરી ભાવનગર ની એક નવી ઓળખ ઉભી કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી