ભારતમાં આવેલ કેટલાક ધર્મસ્થાનો એવા છે જે પોતાનું એક વિશેષ મહાત્મય ધરાવે છે.ધર્મસ્થાન સાથે જોડાયેલ કેટલીક માન્યતાઓ અને રહસ્યમય ઘટનાઓ દર્શાનાર્થીને વધુને વધુ આકર્ષે છે.આવું જ એક ધર્મસ્થાન ત્રિચિનાં કરૂર ગામમાં આવેલ કાલીમાન મંદિર.
આ મંદિરમાં જ્યારે પણ કોઇ મહિલા શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે ત્યારે તેઓ એક બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે પોતાના માથાના વાળ સંપૂર્ણ રીતે ઢંકાયેલા છે કે નહીં.મંદિરમાં પ્રવેશતા પહેલા જે મહિલાએ પોતાના માથાના વાળ ઢાંકેલ ના હોય તેના વાળ રહસ્યમય રીતે કપાઇ જાય છે.
આ મંદિરમાં સૌ પ્રથમ વાળ કપાઇ જવાની ઘટના કોલેજની એક વિદ્યાર્થીની સાથે બની હતી.તેણી આ મંદિરમાં પ્રવેશી ત્યારે તેના માથા પર કાંઇ ઢાંક્યા વગર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી હતી.અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં તેના વાળ કપાઇ ગયા હતા.
આ કાલીમાન મંદિર પશુપતિ ઇશ્વરાર મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.દર શુક્રવારે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે.આ દિવસે ભક્તો ખાસ પૂજા માટે અહીં આવે છે.શુક્રવારે મંદિરના કેમ્પસમાં ખાસ પૂજા યોજાય છે.
ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ તાજેતરમાં કૉલેજના વિદ્યાર્થીઓનું એક જૂથ આ મંદિરમાં આવેલ જેમાંથી એક વિદ્યાર્થીની ચોટી અચાનક કપાઇ જતા તે બેભાન થઈ ગઇ હતી.
આપને જણાવી દઇએ કે આવી ઘટનાઓ અનેકવાર બની છતાં કોઈ પણ જાણી શક્યું નથી કે આ ઘટનાઓ કેવી રીતે બની રહી છે.