અમદાવાદ: હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. દિવાળીની રજાઓમાં લોકો ફરવા જતાં રહે છે અને વ્યસ્ત બન્યા છે. ત્યારે બીજી બાજુ તસ્કરોએ પણ માઝા મૂકી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદના રામોલ વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી દીધો. અહીં એક જ સોસાયટીના 10 મકાનના તળા તૂટયા હોવાની વિગતો મળી રહી છે.
તસ્કરો મોડી રાત્રે ત્રાટક્યા અને એક જ સોસાયટીના 10 જેટલા મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા છે. ત્યારે બનાવની જાણ થતાં જ રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.