મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગ મામલે વધુ એક ધરપકડ થઈ છે.મુંબઈ પોલીસે મોઝોસ બિસ્ત્રોના માલિક યુગ તુલીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ યુગ તુલીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે.મહત્વનું છે કે આ મામલે પોલીસે અગાઉ વન એબવ પબના માલિક અભિજીત માનકર અને અન્ય 2ની ધરપકડ કરી હતી.મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં 14 લોકોના મોત નિપજ્યા હતા.
ઉલ્લેનીય છે કે આ આગાઉ પબ અગ્નિકાંડના આરોપમાં રેસ્ટોરન્ટના માલિક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે વન અબવ પબના માલિક અભિજિત મનકડની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ સાથે બે મેનેજરની પણ ધરપકડ કરાઈ હતી.
બે મેનેજરો ઉપરાંત મહેન્દ્ર સંઘવી નામની એક વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે. મહેન્દ્ર સંઘવી વન અબવ પબના માલિકના અંકલ થાય છે. આ અગાઉ રેસ્ટોરન્ટના માલિકના બે સગાંઓની પણ ધરપકડ કરાઈ હતી. જેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે અંગ્રેજી વર્ષની શરૂઆત થવાની આગલી રાતે મુંબઇના પબમાં પાર્ટી ચાલુ હતી ત્યારે હુક્કાને કારણે અચાનક આગ ભડકી ઉઠી હતી.
જેમાં 14 જેટલા લોકો બળીને ખાખ થઇ ગયા હતા.આ ઘટનાના ઘેરા પ્રતિસાદ દેશમાં પડ્યા હતા.આ ઘટનામાં ગુજરાતની પણ એક યુવતી બળીને રાખ થઇ ગઇ હતી.