શ્રાવણ માસમાં ભક્તિ-પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. સાથે જ મંગળવારના દિવસે મંગળાગૌરી વ્રત કરવાનું પણ મહત્વ કંઈક ખાસ છે. શ્રાવણમાંસના દરેક મંગળવારનું મહત્વ વિશેષ હોય છે. જે મહિલાના લગ્નમાં મુશ્કેલીઓ આવતી હોય તેવી વ્યક્તિએ મંગળાગૌરી એટલેકે માં પાર્વતીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી તેના લગ્નને લગતી સમસ્યાનું નિરાકરણ આવે છે. પરણિત મહિલા પણ આ વ્રત કરી સુખી દામ્પત્ય જીવનની પ્રાર્થના માં મંગળાગૌરી પાસે કરતી હોય છે. પરણિત મહિલાઓ આ વ્રત કરી માં પાર્વતીની પૂજા અર્ચના કરી વ્રતની કથા સાંભળે તો તેની મનોકામના પૂર્ણ થાય છે. અને તેનું સૌભાગ્ય અખંડ રહે છે. પતિ અને સંતાનના દીર્ઘાયુ માટે પણ માં પાર્વતીનું વ્રત કરવું ખુબ ફાયદાકારક છે.
કેવી રીતે વ્રત કરવું...?
- આ વ્રત કરતી વખતે વહેલી સવારે ઉઠી જવું.
- નિત્યક્રમ પૂર્ણ કરી સ્વચ્છ કપડાં ધારણ કરવા જોઈએ.
- આ વ્રત કરવાના દિવસે એકટાણું કરવું.
- માં મંગળાગૌરી એટલેકે પાર્વતીજીના ફોટા અથવા મૂર્તિનું લાલ કપડાં પર સ્થાપન કરી પૂજા- વિધિ કરી " मम पुत्रापौत्रासौभाग्यवृद्धये श्रीमंगलागौरीप्रीत्यर्थं पंचवर्षपर्यन्तं मंगलागौरीव्रतमहं करिष्ये " શ્લોકનું શુદ્ધમને સ્મરણ કરી અને સંકલ્પ કરવો જોઈએ.
વ્રત કેવી રીતે કરશો..?
- આ વ્રત કરતા સમયે પૂજાવિધિમાં 16 ફુલની માળાઓ લવિંગ સોપારી એલાયચી ફળ પાન લાડું સુહાગની સામગ્રી જેવી કે બંગડી અને મીઠાઈ આ દરેક વસ્તુ 16 નંગ ફરજીયાત લેવી. આ સિવાય 5 પ્રકારના સૂકા મેવા 7 અનાજ -ધાન્ય વગેરે લેવું ત્યારબાદ પાર્વતીના વ્રતની કથા સાંભળવાથી માં મંગળાગૌરી પ્રસન્ન થાય છે અને ઉપાસકની મનોકામના પૂર્ણ કરે છે. આ વ્રત સતત પાંચ વર્ષ સુધી શ્રાવણના કોઈપણ મંગળવારે કરવું જરૂરી છે. આ વ્રતની સાથે સોળ સોમવારનું પણ વ્રત કરવાથી લગ્ન વિષયક પ્રશ્નો દૂર થાય છે.