ભાવનગરઃ આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિતશાહ પ્રવાસ દરમિયાન અમરેલીમાં જાહેર સભા કરવાના હતા. ત્યારે હવે વરસાદના કારણે અમિત શાહની અમેરેલી રાજુલા અને મહુવાની સભા રદ્દ થઈ છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહ સૌરાષ્ટ્રમાં પોતાનો પ્રચાર કરવાના હતાં. પરંતુ વાતાવરણમાં પલટાના કારણે તેઓની સભાઓ રદ્ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે.
ઓખી વાવાઝોડાને લઈ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત પર ખતરો મંડરાય રહ્યો છે. આજે ચક્રાવત ઓખી ગુજરાત પર દસ્તક દેશે. ખતરનાક ઓખી આજે સાંજે સુરત વલસાડ અને નવસારી દરિયાકાંઠે 60 કિ.મી.ની ઝડપે ત્રાટકવાનું છે. તમામ દરિયા કાંઠાને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
તોફાની પવનો ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. જ્યારે મુંબઇમાં પણ ઓખીના કારણે કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં વરસાદી ઝાંપટા વરસ્યા હતા. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ 2 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓના કલેક્ટરોને ખડે પગે રહેવા માટે સરકારે આદેશ કરવામાં આવ્યો છે.