વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો આપવામાં આવ્યા છે જે માનવીના જીવનને એકદમ સુખ-શાંતિ વાળુ રાખે છેભારતીય ધર્મગ્રંથોમાં સુચવવામાં આવેલા કેટલાક ઉપાયોનું અનુસરણ કરવાથી ઘરમાં ક્યારેય અશાંતિ સર્જાતી નથી અને માણસ એકદમ શાંતિ સભર વાતાવરણમાં રહી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં સુચવવામાં આવેલ કેટલાક પ્રયોગો કરવાથી જેમ શાંતિ મળે છે તેમ-તેમ ઘરમાં રહેલા કેટલાક પદાર્થોને કારણે ઘરની શાંતિ હણાઇ જાય છે અને પરીવારમાં કલેશ થાય છે. આવી વસ્તુને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં સ્થાન ના આપીએ તે જ વધુ યોગ્ય છે. તો એવી કઇ વસ્તુ છે જે ઘરમાં રાખવાથી ઘરમાં અશાંતિનો માહોલ સર્જાય છે.
ગંદુ પાણી ઘરમાં ન રાખો.
ઘરમાં ક્યાયથી પણ જો ગંદુ પાણી લીક થઇ રહ્યુ હોય તો તે તાત્કાલિક અસરથી બંધ થાય તેવી વ્યવસ્થા કારાવવી જોઇએ. આ પાણીથી માત્ર બિમારીઓનો ફેલાવો થાય છે તથા વાસ્તુની રીતે પણ નુકસાન થાય છે.
કાંટાવાળો છોડ
ઘરની અંદર કાંટા ધરાવતો છોડ ક્યારેય ના રાખવો જોઇએ. આવા વૃક્ષો અને છોડ ઘરની બહારના ભાગે જ રાખવા જોઇએ. આવા કાંટાળા છોડને ઘરમાં સ્થાન આપવાથી પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ તેને અયોગ્યા ગણાવાયુ છે.
ઘરની અંદરનાં ભાગે પત્થર ના રાખવો જોઇએ
ઘરની અંદરના ભાગે પત્થર રાખવો વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરના દરેક સભ્યે દરેક બાબતમાં ખુબ સંઘર્ષ કરવો પડે છે ત્યારે સફળતા પ્રાપ્ત થાય છે.
કચરો
ઘરની અંદર નકામો કચરો ક્યારેય ના રાખવો જોઇએરોજ બરોજનો કચરો બહાર ફેંકાય તેવો ખાસ આગ્રહ રાખવો જોઇએ. ઘરમાં જો જુનો કચરો સતત પડ્યો રહેશે તો પરીવારના વ્યક્તિઓની અંદરો અંદર કડવાશ ઉભી થશે અને મતભેદ મોટા પોયે વધશે.