ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે. મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા છે. ભાજપની સરકાર આવે કે કોંગ્રેસની સરકાર આવે તો નવા મંત્રી મંડળમાં કોણ અને નવા મુખ્યમંત્રી કોણ ? તે બાબત રસપૂર્વક ચર્ચાવા લાગી છે. ગૃહમાં ચૂંટાયેલા કે ન ચૂંટાયેલા નેતા પણ મુખ્યમંત્રી બની શકે છે.
મંત્રી મંડળ માટે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી પસંદગી કરવાની હોય છે.મંત્રી મંડળમાં સમાવેશ માટે પોતાના પક્ષની બહુમતિ અને વ્યક્તિગત રીતે પોતાની જીત થયેલી હોવાની પ્રાથમિક લાયકાત છે. આ ઉપરાંત મંત્રી પદ આપતા સમયે વ્યક્તિગત ક્ષમતાસિનીયોરીટીભૂગોળજ્ઞાતિ વગેરે બાબતોને ધ્યાને લેવાતી હોય છે.
જોકે હાલ તો બન્ને પક્ષના મંત્રી મંડળોના સંભવિતોની ચર્ચાએ જોર પકડયું છે. જો ફરીથી ભાજપની સરકાર બને તો સંભવિત મુખ્યમંત્રી વિજય રૂપાણીમંત્રી મંડળમાં નીતિન પટેલભૂપેદ્રશસહ ચુડાસમાગણપત વસાવારમણભાઈ વોરાપ્રદિપસિંહ જાડેજારાજેદ્ર ત્રિવેદીશંકર ચૌધરીજયેશ રાદડીયાચીમન સાપરીયારાઘવજી પટેલજીતુ સુખડીયાદિલીપ ઠાકોરઆત્મારામ પરમારજયનારાયણ વ્યાસકૌશિક પટેલભરત બારોટદિલીપ સંગાણાબાવકુ ઉંધાડશબ્દશરણ તડવીરમીલાબેન બારાવિભાવરીબેન દવેનિમાબેન આચાર્યતેજશ્રીબેન પટેલઆર.સી.ફળદુ ના નામ ચર્ચાઈ રહ્યા છે.