અમદાવાદ હાલના દિવસોમાં કબ્રસ્તાન બન્યું હોય તેમ દિવસેને દિવસે હત્યાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને જાણે કે હત્યારાઓને પોલીસ અને કાયદાની કોઇ બીક ન હોય તેમ હત્યાઓને અંજામ આપી રહ્યાં છે ત્યારે અમદાવાદના સરસપુરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મળતી માહીતી અનુસાર પતિએ જ પત્નીની હત્યા નિપજાવી પોતાની જાતને પણ મોતના મુખમાં ધકેલવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેના પગલે શહેરકોટડા પોલીસે પ્રાથમિક વિગતોને આધારે પતી દિનેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળેલ વિગત અનુસાર અમદાવાદના સરસપુરમાં આવેલ જગજીવન સોસાયટીમાં રહેતા દિનેશ નટવરભાઇ પરમાર નામના વ્યક્તિએ ગત રાત્રીના 9 વાગ્યા આસપાસ તેની જ પત્ની આરતી દિનેશ પરમાર સાથે ઝગડો થતા આવેશમાં આવીને પોતાની પત્ની આરતીને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દિધી હતી.
ત્યારબાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરી જીવનને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ બંન્નેને નજીકની શારદાબેન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા પત્ની આરતીબેનને મૃત જાહેર કરવામાં આવેલ હતી અને પતિ દિનેશ પરમારને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખાતે ઓપરેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.
ઘટનાને પગલે શારદાબેન હોસ્પિટલ દ્વારા મેડીકો અંતગર્ત ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ શહેરકોટડા પોલીસ દ્વારા દિનેશ નટવરભાઇ પરમાર વિરુદ્ધ પ્રાથમિક પુરાવાઓને આધારે પત્નીની હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.