નોટબંધી અને GSTની અસરને પગલે સતત ઘટી રહેલા GDPને લઈને મોદી સરકાર નિશાના છે. જોકે આ પરિસ્થિતિ લાંબા ગાળે નહી હોય અને લાંબા ગાળે ભારતીય અર્થતંત્રને આ જ નોટબંધી અને GSTના મોટા લાભાલાભ મળશે. આ દાવો છે વૈશ્વિક નાણાકીય સંસ્થા HSBCનો. કંપનીનો દાવો છે કે મોદીના શાસનમાં કરાયેલા આર્થિક સુધારાઓને પગલે આગામી દસ વર્ષોમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થંતત્ર બની રહેશે.
એળે નહીં જાય આર્થિક સુધારા !
નોટબંધી અને GSTની મારથી અર્થંતત્ર પર નકારાત્ક અસરને લઈને મોદી સરકાર ચારેકોરથી ઘેરાઈ છે. આંતરિક અને બાહ્ય વિરોધ વચ્ચે મોદી સરકાર માટે રાહત સમચાર છે. વૈશ્વિક નાણાકીય સંસ્થા HSBCએ દાવો કર્યો છે કે નોટબંધી અને GST જેવા આર્થિક સુધારાથી GDP પર નાકારાત્મક અસર ભલે થઈ હોય. લાબાં ગાળે આ જ આર્થિક સુધારાઓ દેશના અર્થંતત્રને એક નવી ઉંચાઈએ લઈ જશે. એવી ઊંચાઈ કે આગામી 10 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની જશે.
શું કહે છે HSBCનો રિપોર્ટ?
લાબા ગાળે આર્થિક સુધારાઓ દેશના અર્થતંત્રને નવી ઉંચાઈએ લઈ જશે
આગામી 10 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
HSBCએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં છેલ્લા થોડા સમયમાં થયેલા આર્થિક સુધારની નકારાત્મત અસર થઈ છે. નોટબંધી અને GSTથી GDPનો દર પણ ઘટયો છે. જોકે ગ્રોથ ટ્રેડને જોતા એવું કહી શકાય કે આગામી વર્ષોમાં ભારતીય આર્થવ્યવસ્થાની બોલબાલા હશે. રિપોર્ટ પ્રમાણે ભારતનો વૈશ્વિક જીડીપીની સરખામણીએ મઆત્ર 3 કા છે પરંતુ ગ્રતનો ગ્રોથ ટ્રેડ સતત સુધારા પર છે. જો આ જ રીતે આ ગ્રોથ ટેડ વધતો રહ્યો તો આગામી વર્ષોમાં ભારતજાપાન અને જર્મનીને પણ પાછળ મૂકી દેશે.
શું કહે છે HSBCનો રિપોર્ટ?
હાલમાં થયેલા આર્થિક સુધારાઓની નકારાત્મક અસર થઈ
નોટબંધી અને GSTથી GDPનો દર ઘટયો
ગ્રોથ ટ્રેડને જોતા આગામી વર્ષોમાં ભારતીય અર્થતંત્રની બોલબાલા
આ રિપોર્ટ ભારતીય અર્થવ્યવસ્થાને બે ભાગમાં વહેંચવામાં આવી છે એક એવો ભાગ જે ધીમી ઝડપે વિકસી રહ્યો છે. તો બીજો એવો ભાગ જેમાં ખૂબ ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. અને પ્રથમ ભાગમાં ફેરફાર 2018થી 19 સુધી જોઈ શકાશે. જેમાં ધીમો વિકાસ દર અને કેટલાક ક્ષેત્રે સારો વિકાસ દર જોઈ શકાશે. જોકે બીજા ભાગમાં સ્થિતિમાં સુધારો થશે. 2020 બાદ ભારતનો વિકાસ ગતિ પકડશે અને 2019-20 સુધી વિકાસ દર સાત ટકા સુધી પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને આમ જનતાથી માંડીને અર્થંતત્રના દરેક તબક્કે નકારાત્મક અસર થઈ છે જે બાદ આવેલ GST એ અર્થતંત્ર માટે પડયા પર પાટું જેવી સ્થિતિ ઉભી કરી. મોદી સરકારના આ બે સૌથી મોટી આર્થિક સુધારાઓને લઈને મોદી ખુદ ભાજપના જ નેતાઓની ટીકાનો ભોગ બન્યા છે. આવી સ્થિતિમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાનો આ રિપોર્ટ સરકાર માટે વાગ્યા પર મલમ જેવો સાબિત થયો છે.
એળે નહીં જાય આર્થિક સુધારા
મોદી સરકારને વાગ્યા પર મલમ
મોદી સરકારની તરફેણમાં HSBCનો રિપોર્ટ
બેકાર નહીં જાય નોટબંધી અને GST
10 વર્ષોમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે
સરકારે લાદેલા આર્થિક સુધારાથી લાંબા ગાળે લાભ
અત્યારે નકારાત્મક અસર લાંબા ગાળે અર્થંતત્ર મજબૂત બનશે