નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અમદાવાદની મુલાકાતે છે. ગુજરાત યુનિવર્સિટીમાં આયોજીત ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને વિભાવરી દવે ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહે ઓલ ઈંડિયા ફોરેન્સિક કોન્ફરેંસમાં સંબોધન કર્યું હતું.
સરકાર અપરાધ પર લગામ લગાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે: રાજનાથ
ઉલ્લેખનીય છે કે જમ્મૂના આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો થયો છે. જેને લઇ ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મૂ-કાશ્મીરના ડીજીપી સાથે વાત કરી હતી. ડીજીપી એસપી વૈધે આતંકવાદી હુમલા વિશેની ગૃહમંત્રીને સમગ્ર માહિતી આપી છે. ગૃહ મંત્રાલય સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. આતંકવાદીઓના ખાતમા માટે સેનાનું ઓપરેશન યથાવત્ છે.
તેમણે ટ્વિટ કર્યું હતું કે તેઓ અમદાવાદની મુલાકાતે છે અને ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં ભાગ લેશે.
HM has reached Ahmedabad. He will inaugurate the 24th All India Forensic Science Conference today