અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે ત્યારે તેમના કાર્યક્રમના સ્થળની રાજય ગૃહમંત્રી પ્રદિપસિંહ સમીક્ષા કરશે. PM મોદી તેમના પ્રવાસ દરમિયાન મહત્મા મંદિરની મુલાકાત લેવાના છે. આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી એથ્લેટિક ગ્રાઉન્ડની મુલાકાત લેવાના છે. બંને સ્થળોની સુરક્ષાને લઇને રાજય ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજા સમીક્ષા કરશે.
PM મોદીની સાથે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે પણ આવવાના હોય ત્યારે PM મોદીના રૂટ પર પણ સુરક્ષાને લઇને રિહર્સલ ગોઠવવામાં આવશે. એરપોર્ટથી લઇને ગાંધીઆશ્રમ મહાત્મામંદિર સુધીના રૂટનું રિહર્સલ કરવામાં આવશે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહની આગેવાનીમાં આ રિહર્સલ યોજાશે. આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહેશે.