ગાંધીનગર:વિદેશમાં નોકરીના બહાને છેતરપિંડીને લઈને રાજ્યસરકાર હરકતમાં આવી ગઈ છે.જે માટે આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અધિકારીઓની એક બેઠક મળી હતી.
જેમાં ગેરકાયદેસર રિક્રુટિંગ એજન્ટોની પ્રવૃત્તિઓને ડામવા અંગે ચર્ચા થઈ હતી તેમજ છેતરપિંડી આચરનારા એજન્ટો સામે કડક કાર્યવાહી કરવા પણ રણનીતે ઘડવામાં આવી હતી.ઉપરાંત માન્ય એજન્ટો અને રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીયોને છેલ્લા કેટલાક સમયગાળાથી વિદેશ જઇને નોકરી કરવાનું ઘેલું લાગ્યું છે ત્યારે વિદેશમાં નોકરી મેળવવામાંટે થઇને તેઓ કેટલાક એજન્ટોનો પણ સંપર્ક કરતા હોય છે ત્યારે બજારમાં કેટલાક નકલી એજન્ટો વિદેશમાં નોકરી અપાવવાનું વચન આપીને લોકો સાથે છેતરપીંડી આચરતા હોય છે.
આવા બજારમાં ગેરકાયદેસર રિક્રુટિંગ એજન્ટોને પકડીને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવી અને કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા એજન્ટો પર શખ્ત કાર્યવાહી કરવા અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી.