પાટણમાં સામાજીક કાર્યકરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે આ મામલે ગૃહવિભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે.
આ રિપોર્ટમાં પોલીસ પોતાનો બચાવ કરતા કહ્યુ છે કે આ ઘટના ન બને તે માટે પોલીસ 3 દિવસ સુધી કાર્યરત હતી. મુખ્ય ફરિયાદીનો ફોન 3 દિવસ સુધી બંધ હતો. જેથી પોલીસ તપાસ કરી શકી ન હતી. ત્યારે હવે આ મામલે ગૃહવિભાગ દ્વારા IB પાસેથી રિપોર્ટ માંગવમાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ પાટણની કલેકટર કચેરી બહાર યુવકે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સર્જાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.