મુંબઇઃ પદ્માવત ફિલ્મને લઇ સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે ઇતિહાસકાર હેમેન્દ્ર રાજપુત અને સુરેશ ચૌહાણે મહત્વનું નિવેદન આપ્યું છે. હેમેન્દ્ર રાજપુત અને સુરેશ ચૌહાણ કરણીસેના તરફથી પદ્માવત જોવા ગયા હતા. ફિલ્મ જોયા બાદ ઇતિહાસકાર ઝુક્યા છે. ફિલ્મ જોયા બાદ ઇતિહાસકારોએ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે જણાવ્યું કે ફિલ્મમાં ભણસાલીએ પરીવર્તન કર્યો છે. હવે આંદોલન કરવાની જરૂર નથી. જ્યારે સુરેશ ચૌહાણે જણાવ્યું કે હવે આંદોલન કરવાની જરૂર નથી. રાજપુત સમાજને ખુબ ઉંચા દેખાડવામાં આવ્યા છે. ફિલ્મ જોયા બાદ રાજપુતોનો આત્મવિશ્વાસ વધશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પદ્માવતને લઇ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. લોકો તોડફોડ અને હિંસા કરી રહ્યા છે. અનેક બાઇકો સળગાવાઇ આવી હતી અને રોડ રસ્તા ચક્કાજામ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.