અમદાવાદ: સોમવારે ગુમ થયેલા વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા મંગળવારે સવારે મીડિયાની સામે આવ્યા. આશરે 11 કલાક સુઘી ગુમ રહ્યા બાદ તોગડિયા સોમવારે મોડી સાંજે બેહોશ હાલાતમાં મળ્યા હતા. ત્યારબાદ એમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરતાં એમને કહ્યું કે મારા એનકાઉન્ટરનું પડયંત્ર થઇ રહ્યું છે મારા અવાજને દબાવવામાં આવી રહ્યો છે. હું કોઇનાથી ડરી રહ્યો નથી પરંતુ મને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
પ્રેસ કોન્ફરન્સના થોડાક સમય બાદ ગુજરાતના પૂર્વ ડીજીપી ડી.જી.વણઝારા પણ પ્રવીણ તોગડિયાને મળવા પહોંચ્યા હતા. તોગડિયાને મળ્યા બાદ હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિકે કહ્યું છે કે પીએમ મોદી અને અમિત શાહ મળીને પ્રવીણ તોગડિયાની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. એને કહ્યું કે તોગડિયા અને અમે ખેડૂતોનો મુદ્દો ઉઠાવતાં રહ્યા છે પરંતુ અમારી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
VHP પ્રમુખ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે કેટલાક સમયથી મારા અવાજને દબાવવામાં આવી રહ્યો છે. હું હિંદુ એક્તા માટે પ્રયત્ન કરતો રહ્યો. ઘણા વર્ષોથી હિંદુઓનો અવાજ હતો રામ મંદિર-ગૌહત્યાનો કાયદો. કાશ્મીરી હિંદુઓને વસાવવાની માંગણી કરી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં પ્રવીણ તોગડિયા ખૂબ જ ભાવુક થઇ ગયા.