હિમ્મતનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત મામલે હિંમતનગર તાલુકાના કડોદરી ગામની એક બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. માસુમના મોત મામલે જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકીનું મોત થતાં પરિવારે ડોકટર પર સનસનતા આક્ષેપો લગાવ્યા છે. કડોદરા ગામની બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બાળકીનો પરિવાર ખેતમજૂરી કરી જીવન ગુજારી રહ્યા છે. બાળકીના જન્મના 2 કલાક બાદ બાળકીની તબિયત લથડતા નવજીવન હોસ્પિટલના કમ્પાઉન્ડરે હિંમતનગરની બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ એ હોસ્પિટલે ઓપરેશનનું કહેતા બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જયાં ઓપરેશન બાદ બાળકીનું મોત નિપજયું હતું. પરિવારે સિવિલનાં સત્તાધીશો સામે આક્ષેપ કરતા કહ્યું કે સિવિલમાં અમારી બાળકી દાખલ કર્યા બાદ અમારી બાળકીને ડોકટરો જોવા પણ આવ્યા નહતા.
બીજી તરફ પરિવારે એ પણ આક્ષેપ કર્યો કે બાળકીનું બે દિવસ અગાઉ જ મોત થયું હતું. પરંતુ ડોકટરોએ આ વાત છુપાવી હતી.