જયપુરઃ યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ જોધપુર કોર્ટ પહોચ્યા હતા. આ સમયે હાઇકોર્ટના પૂર્વ મુખ્ય જજ અને પૂર્વ રાજ્યપાલ પણ જોધપુર કોર્ટ પહોચ્યા. તેમણે આસારામના આશિર્વાદ લીધા. જોધપુરમાં આસારામ કેસની દરરોજ સુનાવણી થઇ રહી છે.
આસારામ દરરોજ કોર્ટમાં હાજર થાય છે. શનિવારે આસારામ જ્યારે કોર્ટ પહોચ્યા તો સિક્કિમના પૂર્વ મુખ્ય જજ અને પૂર્વ રાજ્યપાલ સુંદરનાથ ભાર્ગવ તેમને મળવા આપ્યા હતા. આસારામ પોલીસ વાનમાંથી બહાર આવ્યા તો સુંદરનાથ તેમને પગે લાગ્યા હતા.
સાથે જ ભાર્ગવે પોતાના બન્ને સરકારી ગાર્ડને પણ આસારામના આશિર્વાદ લેવા આદેશ કર્યો હતો. જાણવા મળ્યું છે કે ભાર્ગવ આસારામના જૂના ભક્ત છે.