દુનિયામાં જન્મ મરણ લગ્નની ઘણી રસ્મો નિભાવવામાં આવે છે. દરેક સમાજના લોકોની પરંપરા પણ અલગ અલગ હોય છે. કેટલાક લોકો તો સદીઓછી અજીબોગરીબ રિવાજ અપનાવતા આવી રહ્યા છે જેના માટે ઘણી વખત વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. આજે અમે જે રસ્મ માટે વાત કરવા જઇ રહ્યા છીએ એ લગ્નથી જોડાયેલી છે પરંતુ એમાં હેરાન કરી દે એવી વાત એ છે કે એમાં જીવતાં નહીં પરંતુ મરેલા છોકરા છોકરીના લગ્ન કરવામાં આવે છે. એનાથી પણ વધારે રસપ્રદ વાત એ છે કે આ રસ્મ આપણાં દેશમાં નિભાવવામાં આવે છે.
યૂપીના સહારનપુર જિલ્લાના નટબાજી સમાજમાં આ પરંપરા ખૂબ વર્ષોથી ચાલી આવી છે અને લોકો આજે પણ એને નિભાવી રહ્યા છે. અહીંના લોકોનું માનવું છે કે જે મૃત સંતાન અવિવાહિત મરી જાય છે બાળક હોવા પર એના લગ્ન કરવામાં આવે છે. એના માટે મંડરમાં ગુડ્ડા ગુડ્ડીઓને દુલ્હા દુલ્હનની જેમ સજાવીને બેસાડવામાં આવે છે. એવું કરવાથી એમનું મૃત સંતાન પણ અવિવાહિત રહેતું નથી.
આ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને બેન્ડ બાજા સાથે મૃત છોકરીના પક્ષના સંબંધીઓ દરવાજા પર આવીને વરઘોડાનું સ્વાગત કરે છે અને બાકીની રસ્મો પણ લગ્નની જેમ નિભાવવામાં આવે છે. આટલું જ નહીં મરેલા દુલ્હા દુલ્હનને દાન દહેજ પણ આપવામાં આવે છે.