વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના ઉદવાડા ગામની પરીણિતાનું જીવન સાસરિયાઓએ બરબાદ કરી નાંખ્યું છે. 4 માસ પહેલા લગ્ન કરીને આવેલી પરીણિતાને લગ્નના થોડાક જ દિવસોમાં ખબર પડી કે તેનો પતિ પૌરુષત્વ વિહીન છે. ત્યારે પરીણિતા પર જાણે આભ તુટી પડયું. લગ્ન જીવન માણવાના આભરખા સાથે આવેલી પરીણિતાનું જીવન જાણે નર્ક સમાન બની ગયું.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશના આઝમગઢની એક દિકરીના રંગેચંગે વલસાડના ઉદવાડાના સતિષ મિશ્રા સાથે લગ્ન થયા હતા પરંતુ લગ્નના થોડાક દિવસો બાદ જ પરીણિતાને પોતાનો પતિ પૌરુષત્વ વિહીન છે તેની જાણ થઈ ગઈ પણ આ બાબતે પરીણિતાએ કોઈ જ ફરિયાદ પોતાના પિયરમાં કરી નહોતી. કારણ કે પત્નીને હતું કે યોગ્ય આરોગ્ય સારવાર બાદ પતિને ઠીક થઈ જશે પરંતુ તે થઈ શક્યું નહીં.
તો સાસરિયા પણ અવાર-નવાર પરીણિતા સમક્ષ દહેજની માગ કરતા હતા. રૂપિયા 10 લાખ દેહજ પેટે માગ્યા હતા પણ આ સમગ્ર બાબત પરીણિતા સહન કરતી હતી અને એક દિવસ પોતાના પિતા આઝમગઢથી ઉદવાડા આવ્યા ત્યારે સાસરિયા પક્ષ અને પતિનો સમગ્ર ભાંડો ફૂટી ગયો.
દિકરીના પિતાના કહેવા પ્રમાણે તેઓને અંધારામાં રાખીને લગ્ન કરાવવામાં આવ્યા હતા. બીજી તરફ સતત સહન કરી રહેલી પરીણિતા પર તેના દિયરે નજર બગાડવાનું શરૂ કર્યું. પહેલા એકલાતાનો લાભ લઈ શારીરીક અડપલા કરવાનું શરૂ કર્યું અને એક દિવસ ઘરમાં કોઈ નહીં હોવાને કારણે દિયરે પોતાની ભાભી આ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો અને કોઈને કહેશે તો મારી નાંખવાની ધમકી આપી. તેથી પરિણિતા ગભરાઈને કોઈને કીધુ નહીં પણ એક દિવસ તેના પતિને દિયરે કરેલી કરતુતની વાત કરી.
તો પતિએ પત્નીનું ઉપરાણુ લેવાને બદલે તેની સાથે મારઝુડ કરવાની શરૂ કરી. આ સમગ્ર ઝુલ્મોથી કંટાળેલી પરીણિતાએ પોતાના પિતાનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સાસરિયાએ તેને પિયરમાં સંપર્ક કરવા દેતા ન હતા અને સતત ત્રાસ ગુજારતા સાથે જમવા માટે પણ આપતા નહીં પણ જ્યારે પિતા એક દિવસ દિકરીના ઘરે ઉદવાડા આવ્યા ત્યારે સમગ્ર ઘટસ્ફોટ થયો.
જેથી પિતાએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દિકરીના પિતાની ફરિયાદને આધારે પોલીસે પતિ સતીષ મિશ્રા અને દિયર અરશવદ મિશ્રાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.