તહેવારના દિવસોમાં રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રીય બન્યું છે ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે મુખવાસ બનાવતા એકમોમાં દરોડા પાડયા હતા. શહેરના અલ્કાપુરી કારેલીબાગ અને જુના પાદરા રોડ પર મુખવાસ બનાવતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને ધાણાદાર અને વરીયાળીના નમુના લેવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે દિવાળીના તહેવારમાં લોકો ખાસ મુખવાસની ખરીદી કરતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગે હવે મુખવાસ બનાવતા એકમો પર લાલ આંખ કરી છે.