આપણા આહારમાં સવારના નાસ્તાનું ખૂબ જ મહત્વ છે. બપોરે અને રાત્રે તો આપણે નિયમિત ભોજન કરી લેતા હોઇએ છીએ પરંતુ સૌથી મહત્વનો છે સવારનો નાસ્તો. સવારના નાસ્તમાં જો ખાખરાભાખરીથેપલાપરોઠા વગેરે ખાવાથી તમારું આખું દિવસ ઉર્જાસભર રહે છે. આ નાસ્તાની સાથે જો તમે ચટણી ખાશો તો તમને સ્વાદ તો મળશે જ સાથે તમારા શરીર માટે પણ ફાયદાકારક સાબિત થશે. જાણો ચટણીમાં કેવા અદ્ભૂત ઔષધીય ગુણો રહેલા છે.
આમળાની ચટણી:
આમળાની ચટણીથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલા વિટામિન C અને અન્ય પૌષ્ટિક તત્વ શરીરને દરેક પ્રકારની સમસ્યાઓથી છૂટકારો અપાવે છે. આ ચટણીમાં જો આદું અને લીંબુ ઉમેરી ખાવાથી હૃદયને લગતી બીમારીઓ દૂર રહે છે.
કોથમીરની ચટણી:
આ ચટણીમાં વિટામિન C અને પ્રોટીનની માત્રા પ્રચુર માત્રામાં હોય છે. જેનાથી ડાયાબિટીસ જેવી બીમારીઓ દૂર રહે છે. આ જ રીતે ફૂદીનાની ચટણીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છેજેનાથી કબજિયાત જેવી સમસ્યાઓથી છૂટકારો મળશે. કોથમીરઆદું અને લસણમાંથી બનેલી ચટણી ખાવાથી આંતરડાની સમસ્યાતાવ અને શ્વાસને લઇને લગતી બીમારીઓ નહિ થાય.
મીઠાં લીમડાની ચટણી:
આ ચટણીમાં આયર્ન તથા ફોલિક એસિડની ભરપૂર માત્રા હોય છે. તેમા કોલ્શિયમ અને અન્ય વિટામિન્સ પણ પૂરતા પ્રમાણમાં હોય છે. આ ચટણી ખાવાથી વાળ કાળા અને મજબૂત બને છે. આ ચટણીનું સેવન કરવાથી એનિમિયા અર્થાત્ લોહીની ઉણપહાઈ બ્લડપ્રેશર તથા ડાયાબિટિસ જેવી સમસ્યાઓ નથી નડતી.
ટામેટાંની ચટણી:
ટામેટાંમાં વિટામિન C લાઇકોપીનપોટેશિયમ સારા માત્રામાં મળી જાય છે. સાથે જ તે કોલેસ્ટ્રોલ ઓછો કરવાનું તત્વ પર્યાપ્ત માત્રામાં મળે છે. જે લોકો વજન ઓછું કરવા માટે ઇચ્છે છે તેમની માટે આ પ્રકારની ચટણી ફાયદાકારક રહે છે.
ડુંગળી અને લસણની ચટણી:
લસણમાં ક શક્તિશાળી પ્રાકૃતિક એન્ટિબાયોટિકએન્ટિ ફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ હર્બ છે. તે ઉંમર સાથે થનારા શારીરિક પરિવર્તનને ઓછા કરવામાં અને બધા જ રોગોને ઠીક કરવામાં મદદ કરે છે.