સુરતઃ ભાજપનો પ્રચાર પ્રચંડ બન્યો છે. જયાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટરથી રોડશો યોજયો હતો. રોડશોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. મુખ્યમંત્રીએ હાર્દિક પટેલ પ્રહારો કરતા કહ્યું કે હાર્દિક પટેલ ખુલ્લો પડી ગયો છે. પાટીદાર સમાજ ભાજપ સાથે છે. બીજી તરફ હાર્દિક પટેલનો પણ કતારગામમાં રોડશો યોજાઇ રહ્યો છે.
CM વિજય રૂપાણી અને બીજી તરફ હાર્દિક પટેલનો રોડશો કતારગામથી પાટીદાર પ્રભુત્વ બેઠક પર રોડશો યોજાયો હતો. જયાં રોડશોમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. પાટીદારોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.
હાર્દિક પટેલના રોડ-શોની શરૂઆત કતારગામ હાથી મંદિરથી થઇ ગયો છે. ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં યુવાનો બાઇક સાથે રેલીમાં જોડાયા છે. હાર્દિક પટેલનો રોડ-શો શહેરના આશરે 50 કિલોમીટર વિસ્તારમાં ફરશે.પાટીદાર પ્રભુત્વ 6 બેઠકો પર હાર્દિકનો રોડશો યોજાઇ રહ્યો છે.
પાટીદાર યુવાનોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. જ્યારે ભાજપ જવાની સાથે સરદાર લડે છે ગોરો સે હમ લડેંગે ચોરો સે જેવા નારાઓ લાગ્યા હતા.