સુરત: પાસ કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ વિરુદ્ધના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપવા પોહચ્યો હતો. જ્યાં તેણે હાલમાં ભાજપમાંચાલી રહેલા વિવાદને લઇને કંઇક આવી પ્રતિક્રિયા આપી હતી.
હાર્દિકે ભાજપમાં ચાલી રહેલા વિવાદની પ્રતિક્રિયા આપતાં તેણે મીડિયાને જણાવ્યું હતું કે ભાજપમાં ખાતાને લઈને ચાલી રહેલી માથાકૂટને દૂર કરવા 50-60 સીનયર ધારાસભ્ય ને એક એક ખાતું આપી દેવું જોઈએ. ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતાને લઈને ચાલી રહેલી ચર્ચામાં હાર્દિકે ફરી એક વખત પરેશ ધાનાણીનું નામ આગળ કર્યું હતું અને કહ્યું હતું કે લોકોને હાલમાં યુવા નેતા ગમે છે. જેથી ધાનાણી ને વિપક્ષ નેતા બનાવવા જોઇએ.
નોંધનીય છે કે ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનમાતની માંગ કરીને જોરદાર આંદોલન છેડીને દેશભરમાં ખળભળાટ મચાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.
સુરતના પાટીદાર યુવાન વિપુલ દેસાઈને હાર્દિક પટેલે વિવાદિત સલાહ આપી હતી. હાર્દિકે તેના ઘરે જઈને કહ્યું કે જો તારામાં એટલી બધી હિમ્મત હોય તો બે-પાંચ પોલીસવાળાને મારી નાખ બાકી પટેલો કોઈ દિવસ મરે નહીં. હાર્દિક પટેલે પોલીસકર્મીઓને મારી નાખવાની વાત કરતા પોલીસ બેડામાં ભારે અસંતોષ ફેલાયો હતો. જેના કારણે હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો.