બોટાદઃ હાર્દિક પટેલે ફરી નિવેદન આપ્યું છે. નારાજ નીતિન પટેલને હાર્દિક પટેલ મળવા જઇ શકે છે. નીતિન પટેલના વિવાદ પર હાર્દિક પટેલે કહ્યુ કે જરૂર લાગશે તો હું નીતિન પટેલને મળવા જઇશ. મારા નિવેદનોથી તેમને ફાયદો થતો હોય તો હું મળવા જઇશ.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે પહેલા પણ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. જેમાં હાર્દિકે કહ્યું હતું કે ભાજપમાં માન-સન્માન ન જળવાતું હોય તો અમારી સાથે જોડાઇ શકો છો. સાથે મળીને ગુજરાતના સુશાસન માટે લડીશું. નીતિન પટેલને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન અપાવીશું.
મહત્વનું છે કે ગુજરાતની નવી સરકારની ખાતાની વહેંચણીને લઈને ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ થયા છે. નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ ખાતુ છીનવાતા તેઓ નારાજ થયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતિન પટેલની નારાજગી પણ સામે આવી છે. ખાતાની વહેંચણીમાં સાઈડ લાઈન કરાતા આજે તેઓ પોતાની ઓફિસ પણ આવ્યા ન હતા. હજૂ પણ કેટલાક દિવસો ન આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.