સુરતમાં હાર્દિક પટેલે જંગી રેલી યોજી હતી.અને ત્યાર બાદ તેને સભાનું આયોજન કર્યું હતું.સભાને સંબોધન કરતા હાર્દિકે સનસનીખેજ ખુલાસો કર્યો હતો.
તેણે કહ્યું કે સુરતમાં મને સભા ન કરવા માટે મારા વોટ્સ એપ પર ફોન આવ્યો હતો. મુકેશ અને વિમલ નામની વ્યકિતએ ફોન કર્યો હોવાનું કહ્યું હતું.
આ બન્નેએ સુરતમાં સભા નહી કરવા મને 5 કરોડની ઓફર કરી હતી.આ પહેલા પણ હાર્દિકે આવી કરોડોની ઓફરો થઈ હોવાના ખુલાસા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દવારા આજે સુરત ખાતે રોડ-શો અને જાહેરસભાનું વરાછા રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેની શરૂઆત કતારગામ હાથી મંદિરથી કરવામાં આવી.
જેમાં મોટી સંખ્યામાં અનેક યુવાનો જોડાયાં. આ રોડ-શો દરમિયાન હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ”આ ચૂંટણીમાં ગુજરાતની જનતા જીતશે અને જરૂરથી સત્તા પરિવર્તન થશે. સાથે જ હાર્દિકે કોંગ્રેસને છ મહિનાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.
ગુજરાતની ભાજપ સરકાર માટે માથાનો દુખાવો સમાન બની ગયેલ પાટીદાર આંદોલન ચૂંટણી સમયે ફરી પાછું સક્રિય થતા જ કેટલાય તર્ક-વિતર્કો સર્જાઈ રહ્યાં છે. આજે સુરત ખાતે જોવા મળેલ હાર્દિક પટેલની રેલીમાં સ્વયંભૂ જનમેદની હાજર રહેતા આગામી ચૂંટણના પરિણામો પર આ રેલીની અસર પડશે કે કે તે હવે સમય જ કહેશે.