ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી આશા બનેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે શનિવારે મોટું એલાન કર્યું છે. હાર્દિક પટેલે કોંગ્રેસની સાથે પાટીદારોની અનામતની વ્યવસ્થા પર ચાલી રહેલી વાતચીતના મામલે કહ્યું કે આના પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નિર્ણય લેશે.
વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે અનામતને લઇ કાયદાકીય રીતે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે ફેમસ વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ કાયદાઓને સારી રીતે સમજે છે. સાથે જ તેમણે ગુજરાતની ભૂસ્તરીય હકીકતનો પણ અંદાજો છે.
8 નવેમ્બર સુધી કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ કરશે નક્કી
પાટીદાર નેતાએ અનામનના મુદ્દા પર કોંગ્રેસની નીતિને લઇ આજસુધીમાં કેટલી તારીખો દર્શાવી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી 8 નવેમ્બર સુધી આરક્ષણ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરશે. જો કો આ પહેલા હાર્દિકે 7 નવેમ્બરની ડેડલાઇન આપતા રાહુલ ગાંધીની સુરતની રેલીનો વિરોધ ન કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિકે આગળએ પણ કહ્યું કે છેલ્લો નિર્ણય થવા સુધી કોંગ્રેસ નેતાઓને અનામતના મામલે સાર્વજનિક રીતે કંઇ પણ ના બોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસનું નિવેદન
ત્યારે કોંગ્રેસે જણાવ્યું કે કપિલ સિબ્બલ આરક્ષણના કાયદાકીય નિયમોને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધીને રિપોર્ટ મોકલશે જેના પર તેમને જ છેલ્લો નિર્ણય લેવાનો છે. આ રિપોર્ટમાં બીજા રાજ્યમાં કાયદાના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આઝાદી બાદ બદલેલી સામાજિક સમસ્યાની જાણકારી પણ આપવામાં આવી છે. હાર્દિકે જે તારીખ આપી છે તે પણ કેટલીક મહત્વની છે. કારણ કે આ દિવસોમાં રાહુલ ગાંધી નોટબંધીની પહેલી વર્ષગાંઠના સમયે ગુજરાત જઇને વેપારીઓ સાથે મુલાકાત કરશે.