પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ આજે અમદાવાદના નિકોલમાં સભા સંબોધન કરી હતી.
સભામાં આવેલ તમામ સમાજના લોકોનો આભાર માનીને હાર્દિક પટેલે સભાની શરૂઆત કરી હતી. આ સાથે જ સભામાં હાજર રહેલા લોકોએ સભામાં જય સરદાર જય સરદારના નારાં લગાવ્યા હતા.
હાર્દિકે નિકોલની સભાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે ગામડાંઓએ તેમની જવાબદારી પૂરી કરી છે. હવે શહેરના લોકોએ તેમની જવાબદારી પૂરી કરવાની છે. આ જવાબદારી 14 મી એ મત આપીને પુરી કરવાની છે. આ સાથે હાર્દિકે કહ્યુ હતુ કે 50 હજાર લોકો મને FACEBOOKમાં LIVE જોવે છે.
હાર્દિક પટેલની જનક્રાંતિ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સભાને સંબોધન કરતા હાર્દિક પટેલે નરેન્દ્ર મોદીને આડે હાથ લેતા જણાવ્યુ હતુ કે સાહેબ ગુજરાતમાં સભા કરે પણ વિકાસની વાત નથી કરતા.
ઉલ્લેખનીય છે આજે સવારે યોજાયેલ આ રેલી અમદાવાદના ખાસ કરીને પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થઇ આનંદીબેન પટેલ અને અમિતશાહના મતવિસ્તારોમાંથી પસાર થઈને આગળ વધી હતી.