ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકા વિરુદ્ઘની ટેસ્ટ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. સિલેક્ટર્સે શુક્રવારે આ અંગેનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કેહાર્દિક પંડ્યાને પહેલી 2 ટેસ્ટ મેચ માટે ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક પ્રેસ રિલીઝ કરીને હાર્દિક પંડ્યાને વર્કલોડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. પંડ્યા નેશનલ ક્રિકેટ એકેડમીબેંગલૂરૂમાં કન્ડીશનિંગ કેમ્પ માટે જશે.
ભારત અને શ્રીલંકાની વચ્ચે ટેસ્ટ સીરિઝમાં 16 નવેમ્બરથી કોલકાતામાં રમાશે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસ પર 3 ટેસ્ટ મેચ સિવાય 3 વન ડે ઇન્ટરનેશનલ અને 3 T-20 મેચ પણ રમશે