શાસ્ત્રો પ્રમાણે 8 વ્યક્તિઓને ચિરંજીવી એટલે કે અમર થવાનું વરદાન મળ્યું છે. તેમાંના એક હનુમાનજી છે. તેઓને ભગવાન રામ અને સીતાજીએ આ વરદાન આપેલું છે. માન્યતા પ્રમાણે કૈલાસ પર્વતથી ઉત્તર દિશામાં એક ખાસ જગ્યા છે.જ્યાં ભગવાન હનુમાનજી આજે પણ વિરાજમાન છે. આ દુર્ગમ પર્વત પર કોઈ પણ વાહનથી પહોંચવું અશક્ય છે.આ સ્થળનું વર્ણન કેટલાય ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. આ નામનો એક પર્વત રામેશ્વરમ પસે પણ છે જ્યાંથી હનુમાનજીએ લંકા જવા માટે છલાંગ લગાવી હતી.
પુરાણો અનુસાર ગંધમાદન પર્વત પર હનુમાનજી રહે છે. વનવાસ દરમિયાન ભીમ સહસ્ત્રદળ કમળ લેવા ત્યાં પહોંચ્યા તો તેમણે હનુમાનજીને ત્યાં સૂતેલા જોયાં હતા.
શાસ્ત્રો પ્રમાણે ગંધમાદન કૈલાસ પર્વતથી ઉત્તરે આવેલો છે. જ્યાં કશ્યપ ઋષિએ તપ કરેલું. આ પર્વત પર ગંધર્વ કિન્નરો અપ્સરાઓ અને સિધ્ધોનો નિવાસ છે. આ પર્વતના શિખર પર કોઇ વાહનથી પહોંચવાનું અસંભવ છે.
ગંધમાદન પરના મંદિરના હનુમાનજી સાથે ભગવાન રામની પણ મૂર્તિઓ છે. આ પર્વત પર ભગવાન રામે પોતાની વાનર સેનાની સાથે યુદ્ઘની યોજના બનાવી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે આ પર્વત પર ભગવાનના રામનો ચરણોના નિશાન પણ છે.