કિસ્મત કયારે પલ્ટી મારે એની કોઇ જ ગેરંટી આ જમાનામાં નથી. આજે બાદશાહની જેમ રહેતો વ્યક્તિ કાલે જેલના સળીયા ગણતો હોય તો નવાઇ નહી આવું જ કંઇક બન્યુ છે પોતાને બાબા ગણતો ગુરમીત રામ રહીમ સાથે પણ. પાંચ કરોડ જેટલા અનુયાયીઓ જેમાં મોટા ભાગના અનુયાયીઓ દરરોજ પોતાની કમાઇના દસ ટકા બાબાના ડેરા સચ્ચા સોદામાં આપે.
કહેવાય છે કે આશરે બે કરોડની રોજની ચોખ્ખી કમાણી બાબાના આશ્રમને મળતી. તેમાં પણ કોઇ જ ટેક્સ નહી. કારણ કે આપણા બાબાઓને મળતી રકમમાં ટેક્સ ફ્રી છે. બળાત્કારી ગુરમીત પર બહુ લખાયું અને ટીવીમાં જોવાયું પરંતુ આપણે વાત કરવી છે. ગુરમીતની હવેની કુંડળીની. આમ તો સારી યુવતીઓ પર હંમેશા ફિદા રહેતો ગુરમીત આશ્રમમાં પણ એવી ગુફાઓ બનાવી કે જયાં ગર્લ્સ કોલેજથી સીધી તેની ગુફાઓમાં રસ્તો નીકળે.
આથી પીડિતાની વાત માનીએ તો 2002માં ગુરમીત 35 જેટલી મહિલાઓ સાથે સંબંધ રાખતો હતો. આપણાં પુરાણોમાં રાક્ષસોના વર્ણન કરવામાં આવતા હતા. તેમાં શિંગડા મોટા દાંત મોટા વાળ એવું સામાન્ય રીતે ધારી લેવામાં આવતું હતું. પરંતુ હવેના જમાનામાં ગુરમતી જેવા પોતાને હીરો સમજતા લોકો રાક્ષસથી ઉતરતા નથી. ગુરમીત બળાત્કારી કેમ થયો તેની પાછળ કદાચ કેટલીક મહિલાઓનો પણ હાથ છે.
જેમ કે ગુરમીત સાથે સંબંધ રાખતી મહિલાઓ જ બીજી મહિલાઓને ગુરમીત સાથે સંબંધ બાંધવા મજબુર કરતી હોવાની વાતો પણ બહાર આવી છે. તો હનીપ્રીત જેવી પોતાને ગુરમીતને પપ્પા કહેતી યુવતીઓનો પણ તુટો નથી આ જમાનામાં. પોતાના અંગત સ્વાર્થ માટે પતિને પણ છોડીને બાપની ઉમરના વ્યકિત અને તેને પણ બાપુજી તરીકે સંબોધીત કર્યા બાદ પણ તેના પુર્ણ પતિનું માનીએ તો ગુરમીત અને હનીપ્રીતને શારીરિક સંબંધો હતા. ત્યારે ખરેખર રાક્ષસની યાદો તાજી થાય તેમા નવાઇ નથી.
તેના પુર્વ પતિએ એવો આક્ષેપ કર્યો કે હનીપ્રીત અને ગુરમીત સાથે હું જ્યારે બહાર જતો ત્યારે તેઓ બંન્ને બાપ દિકરી એક રુમમાં જ્યારે હું બીજા રુમમાં રહેતો હતો. આનો અર્થ આજની જનતાને આપવો પુરતો છે. પણ હનીપ્રીતએ આવું કેમ કર્યું હશે તેવો પણ સવાલ થાય . એ એટલા માટે કે કરોડોની સંપતી ધરાવતો અને આશરે 45 વિધાનસભાની બેઠકો પર પોતાનો સંપુર્ણ પ્રભુત્વ જમાવતો ગુરમીત દેશ વિદેશમાં પણ અનુયાયીઓ ધરાવતો હતો.
સાથે સાથે ડેરા સચ્ચા સોદામાં એક રાજાથી ઉતરતો નહી એવો ઠાઠ ફિલ્મોમાં હીરો તમામ નેતાઓ ચરણોમાં પડે આવી જાહોજલાલી હનીપ્રીત જેવી લાલચુ યુવતીઓને આકર્ષે તેમાં નવાઇ નથી. કારણ કે એક ગુરમીતની સાથે સંબંધ રાખવાથી ડેરા સચ્ચા સોદામાં તે મહારાણી તરીકે રહી શકતી ફિલ્મમાં ગુરમીત સાથે અભીનેત્રી થઇ પોતાના શોખ પુરા થઇ શકતા.
આવી જોહોજલાલી બીજે ક્યાં હોય ? અને એટલે જ હનીપ્રીત ગુરમીત જેવાનો શિકાર બની હતી. પરંતુ હવે શું થશે ? કારણ કે ગુરમીતને એક પુત્ર અને બે પુત્રીઓ છે. જેમાં ડેરા સચ્ચા સોદાનો પદભાર હાલ ગુરમીતના પુત્રને સોંપાયો છે અને હનીપ્રીતે અત્યાર સુધી તેના પુત્ર બે પુત્રીઓ અને ગુરમીતની પત્નીને પણ ગુરમીતથી દુર રાખવામાં સફળ રહી હતી.
ને એ પણ કારણ હોઇ શકે કે ગુરમીતના પુત્ર અથવા તો કેટલાક હનીપ્રીતથી નારાજ અનુયાયીઓ ગુરમીતને જેલ સુધી પહોંચાડવા પાછળના દરવાજેથી મદદ કરી હોય. અને આ કારણે જ હનીપ્રીતની પણ અટકાયત થવાની બીકે તેણે પણ અંડરગ્રાઉન્ડ જવામાં જ શાણપણ સમજી લીધું છે. ગુરમીત જેલમાં જતાં જ હનીપ્રીતનો રાજ ઝુંટવાઇ ગયો છે. ગુરમીતને જો આસારામની જેમ જામીન ન મળે તો દસ વર્ષે પણ છુટી શકે એવી સ્થિતિમાં નથી.
પરંતુ તેની સાથે જો હનીપ્રીત પણ જેલમાં જાય તો ડેરા સચ્ચા સોદાનો સંપુ્ર્ણ કબજો ગુરમીતના પુત્ર પાસે રહે. જો કે ગુરમીત માટે પોતાના પતિને પણ તરછોડી દેનાર હનીપ્રીત પણ ઓછી નથી તે પણ અત્યારે કોઇના કોઇ પ્લાનમાં જરુર હશે. અને પોતાનો લક્ષ્ય સિદ્ધ કરવા માટે હનીપ્રીત કંઇ પણ કરી શકે એવી ચતુર જો લાગી જ રહી છે.
આથી હવે બે શક્યતા દેખાઇ રહી છે યા તો હનીપ્રીત ગુરમીતને છોડાવવા પ્રયાસ કરે યા તો ડેરા સચ્ચા સોદા પર પોતાનો કબ્જો જમાવવા મથામણ. તેના માટે તે કાનુની લડત પણ ચલાવી શકે. એવી ઘટનાઓ માટે કદાચ હજુ થોડી રાહ જોવી પડે. પણ એક વાત તો ચોક્કસ છે કે ગૂરમીત કે આસારામ જેવા બાબાઓને જેલમાં ધકેલવા માટે ભલે કેટલાય ગુન્હાઓ સામે આવ્યા છતાં પણ જેલમાં ધકેલવા અઘરા હતા પરંતુ મહિલાઓના ચીર લુંટવામાં આવા બાબાઓ વર્ષો સુધી જેલમાં સડશે.અસ્તુ