મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને પાકિસ્તાની આતંકીઓના આકા હાફિઝે સઈદે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું ફરીવાર શરૂ કર્યું છે. નજર કેદમાંથી છૂટયા બાદ લાહોર ખાતેથી મુંબઈ હુમલાના આ ગુનેગારે ફરી વખત ભારતને ધમકી આપી છે.
ધમકી આપતા તેણે કહ્યું છે કે બાંગલા દેશના સર્જનનો એટલે કે પાકિસ્તાનના ભાગલાનો બદલો કાશ્મીરને ઝુંટવીને લઈશું. એટલું જ નહી આ પરંતુ આ માટેની તૈયારી કાશ્મીરથી જ ચાલી રહી છે. તેમ તેણે ધમકી આપી હતી. તેણે એમ પણ કહ્યુ હતું કે અમે બદલાથી પણ ખૂબ આગળ વધીશું.
થોડા સમય પહલા જ નજરબંધીની કેદમાં થી આઝાદ થયા પછી તેણે સંયુક્ત રાષ્ટ્રમાં અરજી કરી પોતાનું નામ આતંકવાદીઓની યાદીમાંથી કાઢવા માટે રજૂઆત કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રે નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં થયેલા હુમલા બાદ યુએનએસસીટી ૧૨૬૭(યુએન સિક્યોરિટી કાઉન્સિલ રેજોલ્યુશન) અતંર્ગત ડિસેમ્બર ૨૦૦૮માં તેને આતંકી જાહેર કર્યો હતો. હાફિઝ સઇદે રાજનીતિમાં પણ ઊતરવાનું એલાન કર્યું હતું.
ઉલ્લેનીય છે કે આ આંતકીને અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આંતકીઓની યાદીમાં સમાવેશ કરાયો છે. અમેરિકાએ તો તેના પર એક કરોડનું ઇનામ પણ જાહેર કર્યું છે.
ગત મહિને જ તે ૧૦ મહિનાની નજરકેદ પછી આઝાદ થયો હતો. તેની આઝાદી પર ભારત સાથે અમેરિકાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.