ઇસ્લામાબાદ: મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરી છે કે એનું નામ આતંકીઓના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવે. જમાત-ઉદ-દાવાની ચીફ હાફિઝ તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં અરજી કરવામાં આવી છે. આ અરજી લાહોરની એક કાયદાકીય ફર્મ દ્વારા લગાવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે હાફિઝ સઇદને હાલમાં જ નજરકેદથી મુક્તિ મળી છે.
આ અરજી મિર્ઝા એન્ડ મિર્ઝા નામની કંપની દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજી જ્યારે આપવામાં આવી હતી ત્યારે હાફીઝ સઈદ નજરકેદ હતો. હાફીઝ સઈદ માટે અરજી દાખલ કરનાર નાવેદ રસુલ મિર્ઝા પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોમાં વકીલ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ પંજાબ સરકારમાં એડવોકેટ જનરલ પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ન્યાયિક સમીક્ષા બોર્ડના આદેશ બાદ હાફીઝ સઈદને મુક્ત કરી દેવામાં આવ્યો છે. ગત સપ્તાહે આ મુદ્દા પર સુનાવણી દરમિયાન પ્રાંતિય સરકારે હાફીઝ સઈદની નજરકેદ ત્રણ મહિના લંબાવવાની માગણી કરી હતી પરંતુ બોર્ડે આ માંગણીને ફગાવી દીધી હતી.
હાફીઝ સઈદને પંજાબ સરકારે આતંકવાદ વિરોધી કાયદા ૧૯૯૭ હેઠળ ૩૧ જાન્યુઆરીએ હાફીઝ સઈદ અને તેના ચાર સાગરિતોને ૯૦ દિવસ માટે કસ્ટડીમાં લીધા હતા. હાફીઝ સઈદ સાથે તેના સાગરિતો-અબ્દુલ્લા ઉબેદ મલિક ઝફર ઈકબાલ અબ્દુલ રહેમાન આબીદ અને કાંઝી કાસીફ હુસેનને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.