લાહોર: પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની ન્યાયિક સમીક્ષા બોર્ડે મુંબઇ હુમલાનો ષડયંત્રકર્તા અને પ્રતિબંધિત જમાત ઉદ દાવાનો પ્રમુખ હાફિઝ સઇદની નજરકેદને આજે ફરીથી 30 દિવસ માટે વધારી દીધી છે. જો કે બોર્ડે એના ચાર સાથીઓની કસ્ટડી વધારવા માટેની ના પાડી દીધી છે. સઇદની 30 દિવસની કસ્ટડીનો સમય 24 ઓક્ટોબરથી લાગૂ થશે. સઇદના સાથીઓ અબ્દુલ્લા ઉબૈદ મલિક જફર ઇકબાલ અબ્દુલ રહમાનવ આબિદ અને કાઝિ કાશિફ હુસેનને જો કોઇ અન્ય બાબતમાં કસ્ટડીમાં લેવામાં નહીં આવે તો એ 25 સપ્ટેમ્બરે કસ્ટડી આદેશની સમાપ્તિ પર મુક્ત થઇ શકે છે. સઇદ અને એના ચાર સાથીઓ લાહોર હાઇકોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આજે પ્રાંતીય ન્યાયિક સમીક્ષા બોર્ડની સામે રજૂ થશે.
પંજાબ ન્યાયિક સમીક્ષા બોર્ડના ત્રમ સભ્યોમાં યાવાર અલી અબ્દુલ સમી અને આલિયા નીલમે સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પંજાબ સરકારના ગૃહ વિભાગે જન સુરક્ષા કાયદા હેઠળ સઇદ અને અન્યની કસ્ટડી 3 મહિના સુધી વધારવાનો અનુરોધને માન્યો નથી.
ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે 31 જાન્યુઆરીએ સઇદ અને અન્ય ચારને આતંકવાદ નિરોધક અધિનિયમ 1997 હેઠળ 90 દિવસ માટે કસ્ટડીમાં લીધો હતો.