ડેરા સચ્ચા સોદામાં 36 લોકોના મોત થયા ઘણા ઘાયલ પણ થયા ભારત દેશમાં બીલાડીના ટોપની જેમ બાબાઓ ફુટી નિકળ્યા છે.દરેક ધર્મમાં. એવું નથી કે હિંદુ કે શીખ પરંતુ દરેક ધર્મમાં કહેવાતા ભગવાનના એજન્ટો ધરતી પર ઉતરી આવ્યા છે. આજે આપણા દેશના લોકો એટલા અસહનશીલ થઇ ગયા છે કે થોડું દુઃખ આવે તો પણ તે સહન કરવા કરતા તેના ઉપાય માટે આવા બાબાઓના સહારે પહોંચી જાય છે. તેમાંય ખાસ કરીને હિલાઓને ભગવાનના શરણે જવું કે આસ્તિક હોવું ખોટું નથી.
હું પણ છું અને તેનો મને ગર્વ પણ છે કે હું ભગવાનના કર્મના સિધ્ધાંતોમા માનું છું. પરંતુ દુઃખ ત્યારે શરૂ થાય છે કે જ્યારે આપણે ભગવાનનો સ્મરણ કરવા માટે પણ કોઇ એજન્ટને પકડીને તેને શરણે થઇએ છીએ. અને ત્યાંથી શરૂ થાય છે બાબાઓના કમાણીની શરૂઆત. હાડ માંસ ચામડાનો બનેલો મનુષ્ય જ્યારે પોતે ભગવાન હોવાનો ડહોળ કરે ત્યારે પણ જો આપણે ન સમજીએ તો કાં તો આપણે મુર્ખ છીએ અથવા તો આપણે મુર્ખ બનવામાં પોતાની જાતને ધકેલી રહ્યા છીએ. આપણા શાસ્ત્રોનુ વાંચન કરશો તો ખ્યાલ આવશે કે કોઇ પણ ધર્મના શાસ્ત્રોમાં ભગવાન અથવા અલ્લાહને મેળવવા માટે કોઇના શરણે જવાની જરૂર નથી.
અથવા તો કોઇ પણ ખરાબ કરે તો તેને સહયોગ આપવાની પણ જરૂર નથી. ત્યારે ડેરા સચ્ચા સોદા હોય કે આશારામ હોય કે અન્ય ધર્મના ધર્મગુરૂઓ હોય કેમ આપણે જ એને એટલી હદે સહયોગ આપીએ છીએ કે જાનની પણ પરવા નથી કરતા. આ દેશમાં આવું કેમ થાય છે કે આપણે આપણા પિતા કે માતા કરતા એવા ધર્મગૂરુનુ માનીએ છીએ અને ધર્મગૂરુના કહેવા પર એટલો હંગામો કરીએ છીએ કે કોઇને મોતને ઘાટ પણ ઉતારી દઇએ છીએ. આવું કયા ધર્મમાં કહેવામાં આવ્યું છે ? થોડું તો વિચાર કરો કે તમે કોઇને મોતને ઘાટ ઉતારી રહ્યા છો અને તે પણ કોના કહેવાથી. ખેર આટલી સમજણ પણ હોત તો આવા બાબાઓના ઝુંગાલમાં આવત જ નહી ને પણ દુઃખ ત્યારે થાય છે કે ડેરા સચ્ચા સોદામાં જે 36 લોકો મૃત્યુ પામ્યા તે તમામ રામ રહીમના સમર્થકો હતા.
અરે ભાઇ બળાત્કાર તું કરે કોર્ટ દોષીત તને ઠેરવે અને મરે કોઇ બીજા. આ તે કેવા બાબા.. આવો સવાલ તેમના પાંચ કરોડમાંથી એક પણ અનુયાયીમાં ન આવ્યો ? દુઃખ તો ત્યારે થાય કે જ્યારે આવા લંપટ બાબાઓના કારણે કેટલીય મહિલાના ચીર હરણ થાય છતાં અનુયાયીઓને તે ભગવાન દેખાય. આપણી જનતા એટલી તો મુર્ખ પણ નથી. છતાં આવા બાબાઓ દેશમાં કેમ ચાલે છે.
જો કે ભગવાનના કર્મના સિદ્ધાંતમાં તો કોઇનુ નથી ચાલતું એટલે કદાચ એ 12 વર્ષ પછી પણ અંટાઇ તો જાય જ સવાલ એટલો જ છે કે આસારામ હોય કે રામ રહીમ નિત્યાનંત હોય કે રાધેમાં આ તમામની સમસ્યાઓ ક્યારેક ઉંડાણમાં જઇને જોઇ લે તો પણ અંધ ભકતોની આંખો ખુલ્લી જાય તેમ છે. કોઇની પાછળ અંધભક્તિ કરવાની જરૂર નથી.
તમારા પોતાનામાં એટલો વિશ્ર્વાસ રાખો કે કોઇના શરણે જવું જ ન પડે. અને શરણે જવું હોય તો સીધા ભગવાનના મંદિરે જવુ. અહી એક પંક્તિ કહેવી ઘટે. ખુદ કો કર બલુંદ ઇતના કી ખુદ્દા ભી પુછે કી બતા બંદા તેરી રઝા કયા હૈ. અસ્તુ