મુંબઇઃ દાદરમાં એક દુકાનમાં કરવામાં આવેલી તોડફોડના મામલામાં પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સાત કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આરોપ છે કે મનસે કાર્યકર્તાઓએ દાદરમાં એક જ્વેલરી શોપ પર ગુજરાતી ભાષામાં લખેલી નેમ પ્લેટને ઉખાડી દીધી હતી. મનસે પહેલાથી જ એ માંગ કરે છે કે. મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી ભાષાનો ઉપયોગ થાય. અને આ કારણે જ મનસે કાર્યકર્તાઓએ દુકાનની બહાર ગુજરાતી બાષામાં લખેલા બેનરને તોડી નાખ્યું હતું.
આ પહેલા મનસે દ્વારા ઉ.ભારતના લોકોને મળતી પ્રાથમિકતાઓ ભાષા અને માંસાહાર જેવા મુદ્દાને લઇ વિવાદો સર્જાયા હતા. ઉ.ભારતીયો આવ્યા બાદ મુંબઇમાં ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેવા મુદ્દાને લઇ વિરોધ દર્શાવ્યો હતો. સાથે પરીક્ષા આપવા આવેલ ઉ.ભારતીયો પર મારપીટ કરી હતી. જેવા અનેક મામલાઓ છે જેમાં મનસેએ ઉ.ભારતના લોકોનો વિરોધ કર્યો હતો. આમ ગુજરાતી જ નહીં મરાઠી સિવાયના અન્ય કોઇપણનો વિરોધ મનસે દર્શાવતી રહી છે.
રાજ ઠાકરેએ હિન્દી ભાષાની સખતાઈ બાબતે નારાજગી દર્શાવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રકાશિત કરતું લોકરાજ્ય માસિક હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશિત કરવાને લઇ વિરોધ દર્શાવ્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે તેવો કોઇ પ્રકારનો દેશમાં નિર્ણયે લેવામાં આવ્યો નથી. તો ફરજિયાત હિન્દી શીખવાનું દરેક રાજ્યોને દબાણ શા માટે? આમ તેમને સવાલ ઉઠાવી વિરોધ દર્શાવ્યો હતો.