રાજકોટ: ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને હાઈકોર્ટ દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી છે.હાઈકોર્ટ દ્વારા 17 ડિસેમ્બર સુધી જયરાજસિંહને ગુજરાતમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી. મહત્વનુ છે કે આ પહેલા હાઈકોર્ટ દ્વારા જયરાજસિંહ પર ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નિલેશ રૈયાણી હત્યા કેસમાં ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને કોર્ટે ગુજરાત બહાર રહેવા શરતી જામીન આપ્યા હતા. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટે આ જામીનમાં ફેરફાર કરી ચૂંટણીને લઇને 17મી સુધી ગુજરાતમાં રહેવા મંજૂરી આપી છે.
આપને જણાવી દઇએ કે જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજા ગોંડલ બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જયરાજસિંહે ભત્રીજાના લગ્નમાં આવવા માટે કોર્ટને અરજી કરી હતી જે ગ્રાહ્ય રાખતા ગુજરાતમાં 17મી ડિસેમ્બર સુધી રહેવા મંજૂરી આપી છે.