કચ્છઃ ગુજરાતમાં અંબાજી ચોટીલા અને પાવાગઢનો મહિમા છે તેમ નવરાત્રીમાં કચ્છની દેશદેવી આઈ આશાપુરા માતાજીનો મહિમા અપરમપાર છે. ગુજરાત ભરમાંથી લોકો દર્શને પગપાળા આવે છે.
લખપત તાલુકાના માતાનામઢ ગામે બિરાજતા કચ્છની કુળદેવી મા આશાપુરના દર્શને નવરાત્રીમાં લોકો દૂર-દૂર થી આવે છે. નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે તે પહેલાં લોકો ગુજરાત ભરમાંથી પગપાળે આવી રહ્યા છે જેને લઈને કચ્છના ધોરીમાર્ગો આશાપુરાના નાદથી ગુંજી ઉઠ્યા છે. વાપીથી છેલ્લા 16 વર્ષથી પગપાળા ચાલીને આવતા પદયાત્રી મુનિદભાઈને માતાજીમાં આસ્થા જોડાયેલી છે તેમની મનોકામના માતાજીએ પૂર્ણ કરી છે. તે દર વર્ષે માતાનામઢ પગપાળા ચાલીને આવે છે.
કચ્છનાં લખપત તાલુકાના માતગઢમાં બિરાજતા માં આશાપુરાના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો આવે છે અને તેમા પણ આવતી કાલથી જ્યારે નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે પગપાળા આવતા યાત્રીઓનો ભારે ધસારો જોવા મળે છે ત્યારે પદ યાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા યાત્રીકો માટે પાણીની વ્યવસ્થા જમવાની તેમજ મેડીકલ સુવિધાના પણ વિવિધ કેમ્પ નાખવામાં આવ્યા છે. તેમજ પદ યાત્રીઓની સુરક્ષા માટે cctv કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. અને સમાજને એક સારો સંદેશો મળે તે માટે વ્યસન મુકિત સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવી અને સ્વચ્છતા જાળવવી જેવા બેનરો કેમ્પ સંચાલકો દ્વારા લગાડવામાં આવ્યા છે.