રાજકોટઃ પદ્માવત ફિલ્મને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતના કરણીસેનાન પ્રમુખ રાજભા ઝાલાએ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિની જવાબદારી સરકારની રહેશે.
આ મામલે સિનેમાના માલિકોને ફિલ્મ રજૂ ન કરવાની વિનંતી કરવામાં આવશે. ફિલ્મના નિર્માતા ભણસાલી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવુ જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે આ ફિલ્મ રાજપૂતો અને હિંદુ સંસ્કૃતિના સમ્માનનો સવાલ છે.
મહત્વનું છે કે સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ફિલ્મને લીલી ઝંડી આપી છે. પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં પ્રતિબંધ હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્ય પાસે ફિલ્મ અટકાવવાનો કોઇ અધિકાર નથી. આખા ભારતમાં 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે. તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.