અમદાવાદ: એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ ભાજપા દ્વારા જાહેક કરવામાં આવેલા આગીમી ચૂંટણીમાં પસંદ કરવામાં આવેલા ઉમેદવારોના બીજા લિસ્ટ બાદ ખુશીના માહોલની સાથે સાથે રોષ પણ ભભુકી ઉઠ્યો હતો.
જેમાં નરોડાના સ્થાનિક કોર્પોકેટર સહીત અન્ય મોરચાના કાર્યકરોએ રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. નરોડા વિસ્તારમાં બલરામ થાવાણીને મળેલી ટીકીટના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો.
ભાજપાના યુવા મોરચાના કાર્યકર્તા અને અન્ય હોદ્દેદારોએ ટિકીટ વિતરણ અગાઉ લોકલાગણીને ધ્યાનમાં રાખીને માંગ કરી હતી કે ગુજરાતીને ટીકીટ આપવામાં આવે. પરંતુ ભાજપે સિંઘી ઉમેદવારને ટીકીટ આપતા નરોડા મત વિસ્તારનો માહોલ તંગ થયો છે.
એક તરફ યુવા મોરચા ધ્વારા આજે વિરોધ દર્શાવીને તમામ કાર્યકરોએ રાજીનામું આપ્યુ હતું.ત્યારે બીજી તરફ જનતા ધ્વારા વિરોધના નારા લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
ત્યાં બીજી તરફ ભાજપના કાર્યકરોએ એ પણ ઉમેર્યું હતું કે જો ભાજપ ઉમેદવાર નહી બદલે તો નરોડામાં કોઇ પણ ગુજરાતી ભાજપને વોટ આપશે નહી.