અનામતની આંધી અને 24 કલાકના અલ્ટિમેટમ બાદ કોંગ્રેસના આગેવાનોએ PAAS સાથે સકારાત્મક બેઠક યોજી છે.જેનો ઉલ્લેખ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ પોતાની પ્રતિક્રીયામાં જણાવ્યું છે.
સિધ્ધાર્થ પટેલના નિવાસ સ્થાને યોજાયેલી બેઠક બાદ સિધ્ધાર્થ પટેલે ખૂદ પ્રતિક્રીયા આપતા જણાવ્યું છે કે OBC અને EBCથી હટકે એક નવી ફોર્મુલા તૈયાર કરવામાં આવી છે.
જોકે સિદ્ધાર્થ પટેલ અને દિનેશ બાંભણિયાના નિવેદન બાદ PAASનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે પાટીદાર સમાજને જાગૃત કરતા જણાવ્યું છે કે OBC અને EBC થી હટીને નવી કઈ ફોર્મુલા હોઈ શકે
ઉલ્લેખનીય છે કે એક સમયની પાટીદાર આંદોલનની સભ્ય રેશ્મા પટેલ હાલમાંજ ભાજપમાં જોડાતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતુ. આજે રેશ્મા પટેલે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યુ હતુ કે કોંગ્રેસ માત્ર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યું છે..અને વાસ્તવિકતા સામે ગૂમરાહ કરી રહી છે.