રાજકોટ: હાર્દિક પટેલના કોંગ્રેસને સમર્થન આપવાના નિવેદન બાદ પાટીદારો દ્વારા વિવિધ સ્થળોએ સતત તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે. સુરત ભાવનગર બાદ હવે આ તરફ રાજકોટમાં પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલના પૂતળાનું દહન કરાયું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંત કબીર રોડ પર પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પાટીદાર યુવકોએ હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસની પાટીદાર અનામતની ફોર્મ્યુલાને સહમતિ આપતા વિરોધ થયો હતો અને હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરતો હોવાનો આક્ષેપ કરાયો હતો.
નોંધનીય છે કે અનામતની માંગણી સાથે આંદોલન કરનાર હાર્દિક પટેલે રાજકારણમાં પ્રવેશ કરવા પાટીદાર સમાજને હાથો બનાવ્યો અને એમનો વિશ્વાસઘાત કર્યો. હાર્દિક કોંગ્રેસને સમર્થન આપતાં પાટીદાર સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.