રાહુલ ગાંધીના અંતિમ પ્રવાસ દરમિયાન અરવલ્લીના બાયડમાં રાહુલનો વિરોધ થયો છે. તેનપુરથી બાયડ જતા રસ્તા પર કાળા વાવટા ફરકાવીને યુવકો દ્વારા વિરોધ કરાયો હતો. અમરગઢ પાસે યુવકોએ રાહુલનો વિરોધ કર્યો હતો.
આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે રાહુલ ગાંધીનો છેલ્લો દિવસ છે.
આજે રાહુલ ગાંધીએ દહેગામ ખાતે પહોચ્યા હતા. આ દરમિયાન લોકોએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. ત્યાર બાદ રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. આ દરમિયાન રાહુલે મોદી સરકારને સવાલો પુછયા હતા.
ત્યાર બાદ તેમણે ગુજરાતના મોડલ વિશે કહ્યુ કે આ ગુજરાતનુ મોડલ નથી આ મોદી અને રૂપાણી મોડલ છે અને તેમણે રાફેલ ડીલ અંગે મોદી સરકારને કહ્યુ કે મોદી સરકાર દ્વારા જૂની કંપનીને કોન્ટ્રાકટ ન આપીને નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ અંગે કોઈ મંજૂર પણ લેવામાં આવી ન હતી.
આ ઉપરાંત તેમણે બેરોજગારી વિશે કહ્યુ કે મોદી સરકાર દ્વારા રોજગારી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ પરંતુ હજી સુધી ગુજરાતમાં 30 લાખથી વધુ બેરોજગારો છે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇરશાદ બેગ મિરજાના પરિવારજનોને અમદાવાદમાં સાંત્વના પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે આ તરફ મધુસુદન મિસ્ત્રીના પુત્રનું અવસાન થતાં રાહુલે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
બીજી તરફ પૂર્વ મુખ્યંમત્રી માધવસિંહ સોલંકીના પત્નીનું નિધન થતાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ભરતસિંહ સોલંકી અશોક ગેહલોત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.