ભાવનગર: પીએમ નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાત પહોંચ્યા છે. ભાવનગરવાસીઓને આપી મોટી દિવાળી ભેટ. પીએમ મોદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરના ઘોઘામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું. અને બાદ દરિયામાં શ્રીફળ પધરાવીને પીએમ મોદી ઘોઘાથી બોટ દ્વારા દહેજ જવા માટે રવાના થયા છે. પીએમ મોદીએ રો-રો ફેરીનું લોકાર્પણ કર્યા બાદ લોકોને સંબોધ્યા અને રો-રો ફેરીથી સૌરાષ્ટ્રના લોકોને થતાં લાભ મુદ્દે માહિતગાર કર્યા. પીએમ મોદી હાલ દહેજ જવા રવાના થઈ ગયા છે. અને ત્યાં પહોંચીને પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા વડોદરા જવા રવાના થશે. જ્યાં તેઓ 14 કિમી લાંબો રોડ શો યોજશે.
વડાપ્રધાન ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ રૂપાણી નીતિન પટેલ અને જીતુ વાઘાણી દ્વારા પીએમ મોદીનું સ્વાગત્ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પહેલાનો તેમનો આ પ્રવાસ મહત્વનો મનાઈ રહ્યો છે.
ભાવનગરના ઘોધા બંદરેથી તેઓ રો-રો ફેરી સર્વિસના ઉદ્ઘાટન બાદ રો-રો ફેરી દ્વારા જ ભરૂચના દહેજ સુધી જશે. ત્યાંથી પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચશે અને વડોદરામાં બે કલાકના રોકાણ દરમિયાન અનેક યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
જેમાં અનેક મહત્વની યોજના સામેલ છે. વડોદરાથી દિલ્લી જવા માટે તેઓ અંદાજે સાંજે 5 વાગ્યે રવાના થશે.