સુરતઃ ભાજપનાં એક કાર્યાલયમાં પથ્થરમારો થયો હોવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ભાજપનાં વી.ડી.ઝાલાવાડિયાનાં કાર્યાલય પર પથ્થરમારો થયો છે. પુણા ગામનાં કિરણ ચોક વિસ્તારમાં આ કાર્યાલય આવેલું છે. જે કે હાલ આ સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે ને સંપૂર્ણ સ્થિતિને કાબુમાં લઇ લીધી છે. અને પથ્થરમારો કરનારા શખ્સોની શોધખોળ પણ હાથ ધરાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે હવે ટૂંક સમયમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહાર થઇ રહ્યાં છે. ત્યારે એવામાં તાજેતરમાં જ બનેલી એક ઘટનાએ હાલ સમગ્ર રાજકારણને હલાવી દીધું.
જો કે આ સમગ્ર ઘટના મુજબ સુરતમાં ભાજપનાં એક કાર્યાલય પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે જેને લઇ સમગ્ર વિસ્તારમાં એક પ્રકારનો ભય ઊભો થયો છે. તેમજ ચૂંટણીલક્ષી માહોલમાં પણ રાજકીય નેતાઓમાં પણ આ ઘટના ઘણી ગંભીરરૂપ નીવડી છે જેને લઇ પોલીસ પણ આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી રહી છે.