અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની 182 બેઠકો માટેની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. રાજ્યમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તે જાણવા માટે ગુજરાતના નાગરિકો સહિત સમગ્ર દેશ આતુર છે.
રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પરથી થનાર મતગણતરીમાં 1828 ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ જશે. સાથે જ ખૂબ ઝડપથી ગુજરાતનો તાજ કોના શિરે આવશે તે પણ નક્કી થઈ જશે.