ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશના ભાજપ તરફી પરીણામો આવતા ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન મોડી સાંજે પક્ષના દિલ્હી ખાતે રહેલા કાર્યલય ખાતે વિજય ઉત્સવ મનવવા પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના નાના-મોટા કાર્યકર્તાઓ તથા પક્ષના હોદ્દેદારો પણ આ વિજય જશ્નમાં જોડાયા હતા.
વડાપ્રધાને પોતના વક્તવ્યની શરૂઆત કરતાં જણાવ્યુ હતું કે ગુજરાત અને હિમાચલની જનતાને હું શત-શત વંદન કરૂ છું. તેમણે વિકાસનો રસ્તો પસંદ કર્યો. વિકાસના માર્ગથી જ જનસામાન્યની સમસ્યાઓનું સમાધાન થાય છે. આજની વૈશ્વિક સ્પર્ધાના યુગમાં જો ભારતને આગળ લઇ જવું છે તો ભારતને પણ વિકાસની ઉંચાઇએ લઇ જવો પડશે.
તેમણે જણાવ્યું હતું કે પાછળની કેટલીક ચુંટણીઓમાં ભાજપને સતત જીત મળી રહી છે. પરંતુ વિકાસની કોઇ મજાક ઉડાવે તે દેશને સ્વીકાર નહીં કરી શકે.
PM મોદીએ જણાવ્યું હતુ કે દેશ રિફોર્મ માટે તૈયાર છે. મિડલ ક્લાસની આશા વધી છે અને દેશને ભ્રષ્ઠાચાર પસંદ નથી. આ વખતે ચુંટણીમાં કોંગ્રેસની સાથે અન્ય કેટલીયે તાકાતો હતી જેણે અલગ-અલગ ષડયંત્રો રચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એક્ઝિટ પોલના પરિણામો જાહેર થતાં જ તેઓ પરેશાન થઇ ગયા હતાં.