ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળી છે. ત્યારે હવે ચૂંટણીમાં હાર અંગે કોંગ્રેસની સમીક્ષા બેઠક મળશે. મળતી માહિતી મુજબ આ બેઠક 6 અને 7 જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે મળશે. જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા રોકવામાં આવેલ એજન્સીઓ પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યા છે. 182 નિરીક્ષકોને હારના કારણ સાથે હાજર રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
મહત્વનું છે કે દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે પોતાનો 133મો સ્થાપના દિવસ મનાવી રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ આ કોંગ્રેસ પહેલો સ્થાપના દિવસ છે.
આ નિમિત્તે આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુખ્ય કાર્યાલય ખાતે ઝંડો લહેરાવ્યો હતો.